આ યોજના અંતર્ગત ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમાવી લેવામાં આવ્યા છે. આ યોજના માં રીક્ષા માં જતા વિદ્યાર્થીઓને સહાય આપવા માં આવે છે આ યોજનાની વધુ માહિતી નીચે આપેલી છે.

ટ્રાન્સપોર્ટેશન યોજના 2021


લાભ કોને મળે 

ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 1 કીમી કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 3 કીમી કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.

કેટલો લાભ મળે

ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા 400
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા 400
ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે 

સંબંધિત સ્કૂલમાંથી


મા અને મા વાત્સલ્ય યોજના 2021

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.

રાજ્ય સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારીમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે અમલી બનાવેલી મા યોજના અને મા વાત્સલ્ય યોજનાનું ભારત સરકારની આયુષમાન ભારત યોજના સાથે મર્જર કરવામાં આવ્યું છે. જેથી હવે આ ત્રણ પૈકી કોઇપણ યોજનાનું કાર્ડ હશે તે લાભાર્થીને એકસરખો 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાનો લાભ મળશે.

આ યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.આ યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.

મા અને મા વાત્સલ્ય યોજના 2021 ની વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.